હું દ્રઢપણે માનું છું કે યોગ અને પ્રાણાયમ પાસે કોરોના જેવા રોગચાળાને (કદાચ એ તેનો ઉપચાર ન પણ કરી શકે તો પણ) તેને રોકવા માટેની તમામ ક્ષમતાઓ છે, અગ્નિસર અને કપાલભતી જેવા પ્રાણાયમ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અગ્નિસાર સૌથી અગત્યનું છે, મને લાગે છે કે આવી કપરી પરિસ્થિતિઓમાં તેનું ખૂબ મહત્વ રહે છે. જેમ તેનું નામ સૂચવે છે તેમ, અગ્નિસર માનવ શરીરમાં ગરમી અને શક્તિનો પુષ્કળ જથ્થો બનાવે છે જે મોટાભાગના કેસોમાં શરદી અને ફ્લૂની અસરને નષ્ટ કરી શકે છે (હકીકતમાં, મેં તેનો અનુભવ મારા જીવનમાં કર્યો છે અને મારો વિશ્વાસ કરો, હું મજાક નથી કરતો).
હવે, કોઈ પૂછશે કે અગ્નિસર કેવી રીતે કરવું ???
અહીં, હું એ ફક્ત સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું.
સ્ટેપ 1: આરામદાયક આસન પર બેસો જેમ કે પદ્માસન, વજ્રાસન, સુખાસન વગેરે.
સ્ટેપ 2: પ્રથમ એક સાદો સામાન્ય શ્વાસ લો અને છોડો.
સ્ટેપ 3: સામાન્ય રીતે શ્વાસ લો.
સ્ટેપ 4: તમારા શરીરની અંદર શ્વાસ રોકો.
સ્ટેપ 5: સામાન્ય રીતે શ્વાસ બહાર કાઢો.
સ્ટેપ 6: અહીં સૌથી મહત્વપૂર્ણ પગલું આવે છે. બહાર શ્વાસ રોકો અને તમારા પેટને જેટલી વખત બને એટલી વાર અંદર અને બહાર ફ્લિપ (અંદર-બહાર) કરો.
સ્ટેપ 7: આ ફ્લિપિંગના 10 થી 15 રાઉન્ડ પછી, ધીમે ધીમે શ્વાસ લો ... અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું શરૂ કરો.
આ રીતે તમારો અગ્નિસરનો એક રાઉન્ડ બની જાય છે. કેટલાક સામાન્ય શ્વાસ પછી તમે તેને પુનરાવર્તન કરી શકો છો.
યાદ રાખવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપી છે.
1. અગ્નિસાર ફક્ત ખાલી પેટ (જેનો અર્થ છે કે ભારે ભોજન પછી ૩ કલાક બાદ / અને નાશ્તા પછી દોઢ કલાક બાદ) જ કરી શકાય છે.
2. શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા આરામદાયક હોવી જોઈએ નહીં કે બળજબરીપૂર્વક.
3. આસન (પદમાસન, વજ્રાસન, સુખાસન વગેરે) તમારા શરીર પ્રમાણે અનુકૂળ રહેવું જોઈએ.
કોરોના રોગચાળો સામે લડવાનો એક નાનો પ્રયાસ...
સાદર
જયેશ કોરિયા
જય હિન્દ ...
વંદે માતરમ ...
#indiafightscorona #indiafightsagainstcorona #indiafightscoronavirus #indiafightsagainstcoronavirus #corona #coronavirus #cureofcorona #cureofcoronavirus
No comments:
Post a Comment